રાજકોટમાં જૂની અદાવતમાં છરીના 14 ઘા ઝીંકી યુનુસને પતાવી દેનાર આરોપીને આજીવન કેદની સજા, 1 લાખનો દંડ - At This Time

રાજકોટમાં જૂની અદાવતમાં છરીના 14 ઘા ઝીંકી યુનુસને પતાવી દેનાર આરોપીને આજીવન કેદની સજા, 1 લાખનો દંડ


રાજકોટના કોઠારીયા રોડ પર યુનુસ પીપરવાડીયાના હત્યા કેસમાં ફારૂક જામનગરીને આજીવન કેદની સજાનો હુકમ અદાલતે કર્યો છે. આ વર્ષ 2016ની ઘટના છે. જેમાં અગાઉની અદાવતમાં છરીના 14 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરાઈ હતી. અદાલતે દોષિતને રૂ.1 લાખનો દંડ પણ ફટકાર્યો છે અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.