ચોટીલા હાઇવે પરથી 9 પશુ જીવને ચોટીલાના જીવદયાપ્રેમી ટીમ દ્વારા કતલખાને જતા બચાવવામાં આવ્યા - At This Time

ચોટીલા હાઇવે પરથી 9 પશુ જીવને ચોટીલાના જીવદયાપ્રેમી ટીમ દ્વારા કતલખાને જતા બચાવવામાં આવ્યા


ચોટીલાના ગૌરક્ષક હરેશભાઇ ચૌહાણ અને ચોટીલાની ગૌરક્ષક ટીમ દ્વારા રાત્રીના સમયે હાઇવે પર કનૈયા ચોકડી પાસે વાંકાનેર તરફથી આવતી આઇશર ગાડીમાંથી બેરહમીપૂર્વક બાંધી કત્લખાને લઈ જવાતા 9 અબોલજીવને બચાવી પાંજરાપોળમાં સોપાયા.અબોલજીવોને કતલખાને લઈ જતી આઇશર ગાડી સહિત 2 આરોપીને ઝડપી પાડી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા.
અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે થોડા સમયથી જયારે પણ કતલખાને જતી ગાડી પકડાય છે ત્યારે ચોટીલા પાંજરાપોળ દ્વારા પશુઓ સ્વીકારવાની આનાકાની કરવામાં આવે છે. આજની ઘટનામાં પણ રાત્રીના સમયે પકડાયેલી ગાડીના પશુઓને સવારે 10.30 વાગે પાંજરાપોળ દ્વારા સ્વીકારવામાં આવ્યા.


8487828888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.