સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ


આજ રોજ શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢ ખાતે ત્રિવિધ અર્પણ - અભિવાદન કાર્યક્રમ યોજાયો.
શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં અનેક સામાજીક અને સખાવતી સંસ્થાઓમાં થાન પંથકના ભામાશા તરીકે ખ્યાતિ પ્રાપ્ત શ્રી હીરાભાઈ નાથાભાઈ મીર ભરવાડ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓ માટે ઠંડા પાણીની પરબ અર્પણ કરવામાં આવી. ઉપરાંત તેમણે શાળાના 50 NCC કેડેટસ્ ને NCCનો યુનિફોર્મ, NCC ટ્રેકશુટ ઉપરાંત શાળાના ૨મતવીરોને ટ્રેક ટીશર્ટ પણ અર્પણ કર્યા. તેમણે ઉપરોક્ત બાબતના ખચૅ પેટે શાળાને કુલ બે લાખ ત્રીસ હજારનું દાન આપેલ. તો આ પ્રસંગે આજ રોજ એમના આભાર અભિવાદન - અર્પણ સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સામાજીક અગ્રણી એવા શ્રી બકુલસિંહ રાણાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત શાળા પરીવારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ જયેશભાઇ મોરી થાનગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.