બોર ગામે રામદેવજી મહારાજનો ૩૩ જ્યોત પાટોત્સવ ઉજવાયો,આનંદરામ મહારાજ ઉપસ્થિત રહ્યા... - At This Time

બોર ગામે રામદેવજી મહારાજનો ૩૩ જ્યોત પાટોત્સવ ઉજવાયો,આનંદરામ મહારાજ ઉપસ્થિત રહ્યા…


વિરપુર તાલુકાના બોર ગામે ૩૩ જ્યોત પાટોત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરામ મહારાજ સેવા આશ્રમ પાંટાના ગાદીપતિ આનંદરામ મહારાજની ઉપસ્થિતિ રહી સંતવાણી ભજન કીર્તન કાર્યક્રમ યોજાયા હતા આ પાટોત્સવમાં બોર ગામના ભલાભાઈ એમ પરમાર પરીવાર દ્વારા પાટોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રીના ૮ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે જ્યોત પાઠનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ઉપરાંત સંતોનુ સામૈયુ તથા શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો રાત્રી દરમિયાન વિવિધ ગામોમાંથી પધારેલા ભજન
મંડળોએ ભજન તથા સંતવાણીનો લાભ આપ્યો
હતો આ કાર્યક્રમમાં ગ્રામજનો સહિત વિરપુર તાલુકા પંચાયત સદસ્ય દલપતસીંહ પરમાર, વિરપુર તાલુકા VHP પ્રમુખ નવીનભાઈ ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ભલાભાઈ તથા પરમાર પરિવાર દ્વારા કરવામાં
આવ્યું હતું...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.