વેરાવળ ખારવા સમાજની વંડીમાં સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સનાતન હિંદુ ધર્મસભા યોજાઈ - At This Time

વેરાવળ ખારવા સમાજની વંડીમાં સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સનાતન હિંદુ ધર્મસભા યોજાઈ


આજરોજ વેરાવળ ખાતે ના અખિલ ગુજરાત માછીમાર મહા મંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઇ કુહાડા દ્વારા આજ રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ની વંડી માં સનાતન હિંદુ ધર્મ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં દ્વારકા જગત મંડી શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર અનંત વિભૂષિત શ્રી કૃષ્ણાનંદજી મહારાજ તેમજ ગુડલક શ્રી શનિદેવ મંદિર મહંત હરી નારણ ગીરી અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખ તેમજ ખારવા સમાજના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ કુહાડા, વિશ્વ હિન્દુ પરિષ ના અજીતસિંહ વસીસથ ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તથા કારોબારી, જોષી કેટરર્સ મિલનભાઈ જોશી, વેરાવળ સમજતા ખારવા સમાજના ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, ઉપ પટેલ બાબુભાઇ આગિયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ફોફંડી, તથા વેરાવળ સમજતા ખારવા સમાજના તમામ પંચ પટેલશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં સાધુ સંતો આ ધર્મ સભામાં હાજર રહ્યા હતા
તેની અખબાર યાદી શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી અખબાર યાદીમા જણાવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.