શ્રી આહીર સમાજ માળીયા હાટીના તાલુકા દ્વારા ૪ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો - At This Time

શ્રી આહીર સમાજ માળીયા હાટીના તાલુકા દ્વારા ૪ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો


સરસ્વતી સન્માન સમારોહના દાતા શ્રી ઓનું સન્માન કરાયું

શ્રી આહીર સમાજ માળીયા હાટીના તાલુકા દ્વારા દર વર્ષની જેમ આ વખતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ આહીર સમાજના આગેવાનોનું સ્વાગત કરી આહીર સમાજના આગેવાનોએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આહીર સમાજના મુખ્ય આગેવાનો, આહીર સમાજના શ્રેષ્ઠી રાજકીય આગેવાનોને સાલ ઓઢાળી મોમેન્ટ આપી તેમજ ૩૨ આહીર સમાજના નવયુવાન દીકરા દીકરીઓએ વિવિધ વિભાગમાં નવી નોકરીમાં પોસ્ટીંગ મેળવ્યું તેબદલ, તેમજ વિશિષ્ટ સિદ્ધિઓ પાસ કરેલ ૮ વિદ્યાર્થીઓ સહિતના લોકોને મોમેન્ટ પ્રમાણ પત્ર આપ્યા તેમજ અભ્યાસ કરતા નાના ૩૭૫ બાળકોને શિલ્ડ, ધળીયાલ, બેગ અને પ્રમાણ પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં આહીર સમાજના આગેવાન તેમજ તાલાલના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સમાજના બહેનોને અને ભાઈઓએ વ્યસન મુક્ત કરવાનું તેમજ આહીરના સમાજના લોકોએ દરેક બાળકોને ખાસ અભ્યાસ કરવાનો નેમ લેવાનું કહ્યું હતું તેમજ આહીર સમાજના લોકોએ એકતાની સાથે હળી મળી રહેવાનું જણાવ્યું આ કાર્યક્રમના અંત માં આહીર સમાજનો સમૂહ ભોજન રાખવામાં આવ્યો હતો આ તકે આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો તેમજ આહીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી આહીર સમાજ માળીયા હાટીના તાલુકા પ્રમુખ નગાભાઈ સોલંકી તેમજ આહીર સમાજના લોકોએ ભારી જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.