વડનગર ના ગ્રામજનો એ "રથ ઉજવણી" મહોત્સવ ની ઉજવણી કરવામાં આવ્યો - At This Time

વડનગર ના ગ્રામજનો એ “રથ ઉજવણી” મહોત્સવ ની ઉજવણી કરવામાં આવ્યો


વડનગર ના ગ્રામજનો એ "રથ ઉજવણી" મહોત્સવ ની ઉજવણી કરવામાં આવ્યો

દર વર્ષ જેમ આ વર્ષ એ વડનગર માં ભાદરવા સુદ નોમ દિવસે રથ ઉજવણી કરવામાં આવે છે. આમ કહેવાય છે કે વડનગર માં ૬ દરવાજા ની અંદર ભાગ માં ત્રણ રથ નીકળે છે . તેમાં નદીઓળ દરવાજો, અર્જુન બારી દરવાજો અમતોલદરવાજા, ધાસકોળ દરવાજો પીઠોરી દરવાજો, અમથોળદરવાજો એમ બન્ને દરવાજા માં એક રથ નીકળવા માં આવે છે. તેમાં કુલ ત્રણ આ વડનગર ના સીમ ની હદ સુધી મુકવામાં આવે છે.
દર ભાદરવા સુદ માં શુભ મુર્હત કાઢી ને નદીઓળ દરવાજા ધાસકોળ દરવાજા, પીઠોરી દરવાજા આ ત્રણેય દરવાજા ની અંદર ભાગ ના જે તે સમયે આ ગામ ના ત્રણ દરવાજા (મુખી) પટેલ ના વરદહસ્તે ધાર્મિક યજ્ઞ ,મંત્રોનાચ્ચારણ , પૂજા અર્ચના, પાઠ, કરી ને આ રથ ઉજવણી નો મહોત્સવ સર્વ ગ્રામજનો નું કલ્યાણ થાય તે માટે ગામ ઉજવણી રાખવામાં આવે છે. અને સમગ્ર વડનગર ના દરેક જીવનું તથા વિશ્વ ના દરેક જીવનું આરોગ્ય તંદુરસ્ત રહે તેવી માતાજી અને વૈશ્વિક શક્તિ ને નમન કરીને આરાધાન કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.