કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં મહા શ્રમદાન કાર્યક્રમ યોજાયો - At This Time

કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં મહા શ્રમદાન કાર્યક્રમ યોજાયો


'સ્વચ્છતા હી સેવા' ૨૦૨૩ અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાના નિયત કરેલા ગામોમાં મહા શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. ગાર્બેજ ફ્રી ઈન્ડિયાની થીમ સાથે ગામડાઓ કચરા મુક્ત બની રહે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કચ્છ જિલ્લાના તમામ તાલુકાના એક-એક ગામની ભાગોળે આવેલા ઉકરડાની સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા શ્રમદાન નિમિતે મોટા પ્રમાણમાં બ્લોક સ્પોર્ટની સફાઈ કરવામાં આવી હતી. નાગરિકોએ સાથે મળીને ગામડાઓ કચરા મુક્ત બને તે માટેના શપથ લીધા હતા. આ મહા શ્રમદાન કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તાલુકાના વિવિધ પદાધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો તમામ સ્ટાફ, આગેવાનશ્રીઓ, ગ્રામજનો અને સફાઈ કર્મચારીઓ આ મહા શ્રમદાન કાર્યક્રમમાં જોડાયા હતા


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.