જસદણના મામલતદારની લાઠી બદલી ગીર સોમનાથથી નવા મામલતદાર મુકાયા: અલ્પેશભાઈ દ્વારા આવકાર - At This Time

જસદણના મામલતદારની લાઠી બદલી ગીર સોમનાથથી નવા મામલતદાર મુકાયા: અલ્પેશભાઈ દ્વારા આવકાર


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજયના મહેસુલ વિભાગ દ્વારા મામલતદારોની બદલી કરવામાં આવી તે પૈકી જસદણ મામલતદારની બદલી થઈ હતી અને તેમના સ્થાને આવેલ નવાં મામલતદારને જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ ભાજપના યુવા આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયાએ આવકાર આપ્યો હતો જસદણના મામલતદાર મિલન રાજ્યગુરુની બદલી લાઠી કરવામાં આવી છે અને તે જગ્યા પર ગીર સોમનાથથી એન સી વ્યાસને જસદણ મુકવામાં આવેલ છે રાજ્ય સરકારની આ જસદણની નિમણુંકને આવકારતાં અલ્પેશભાઈએ જણાવેલ છે કે ચુંટણીપંચ દ્વારા શનિવાર સાંજ સુધીમાં આગામી લોકસભાની ચૂંટણીની કદાચ જાહેરાત થઈ શકે છે તે અનુલક્ષીને બે દિવસ પહેલા રાજ્યમાં ઘણાં મામલતદારોની બદલી કરવામાં આવી હતી આ એક સહજ પ્રક્રિયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.