શિહોર યુવા પરશુરામ ગ્રુપ દ્વારા વિતરણ કરાયું - At This Time

શિહોર યુવા પરશુરામ ગ્રુપ દ્વારા વિતરણ કરાયું


સિહોર યુવા પરશુરામ ગ્રુપ દ્વારા કીટ વિતરણ કરાયું
આમતો યુવા પરશુરામ ગ્રુપ દ્વારા દર માસે જરૂરિયાતમંદો ને અનાજ સહિત તમામ વસ્તુઓ ની કીટ વિતરણ કરવામાં આવે છે જે ગ્રુપ નો મુખ્ય પ્રોજેકટ છે.આ પ્રોજેકટ હેઠળ વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે.
બ્રહ્મસમાજને એક તાંતણે બાંધનાર ગ્રુપ પ્રમુખ દિપકભાઈ જાની ની આગેવાની તથા ગ્રૂપ ના સભ્યોના સાથ સહકાર થી આ ગ્રુપ આજે વટવૃક્ષ બની ગયું છે.દર માસે અગણિત અનાજ કરિયાણા ની કિટો માં અન્નપૂર્ણા તથા મહાદેવનો પ્રસાદ કહી આપવામાં આવે છે છતાં આજ સુધી આ કિટો જેને આપવામાં આવે છે તેને કીટ આપતી વેળાએ કોઈ ફોટોગ્રાફ પાડવામાં આવતા નથી આમ એક હાથે કરેલું કાર્ય બીજા હાથ ને ખબર પડે નહીં તેમ ખભે ખભો મિલાવી આ ભગીરથ કાર્ય કરાય રહ્યું છે ત્યારે મકરસંક્રાંતિ ના પાવન અવસરે યુવા પરશુરામ ગ્રુપ દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.