મેમનગર સ્થિત દિવ્યપથ શાળા માં ધોરણ ૧૨ ના બાળકો દ્વારા પરીક્ષા નિમિતે ગાયત્રી પૂજન અને હવન - At This Time

મેમનગર સ્થિત દિવ્યપથ શાળા માં ધોરણ ૧૨ ના બાળકો દ્વારા પરીક્ષા નિમિતે ગાયત્રી પૂજન અને હવન


મેમનગર સ્થિત દિવ્યપથ શાળા માં ધોરણ ૧૨ ના બાળકો દ્વારા પરીક્ષા નિમિતે ગાયત્રી પૂજન અને હવન

તા.૨૯-૨-૨૦૨૪ ગુરુવારે સવારે ૯-૦૦થી૧૨-૦૦ દરમ્યાન દિવ્ય પથ સ્કૂલ, મેમનગર,અમદાવાદ ખાતે ધો-૧૨ બોર્ડના ૨૨૬ વિદ્યાર્થીઓના વિદાય સમારંભની ઉજવણી ૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞના માધ્યમથી તેઓને ઉજ્જવળ ભવિષ્ય, કારકિર્દી,નિરામય જીવન પ્રાપ્ત થાય તે હેતુથી શિક્ષક ગણના માર્ગદર્શન હેઠળ તેમજ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા પ્રજ્ઞા પુત્ર શ્રી પ્રવીણભાઈ એમ. પટેલે સંગીત વૃંદ સાથે કલમ પૂજન સરસ્વતી પૂજન,ગણેશજી,ગુરુદેવ, ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજયમંત્રના મંત્રોચ્ચાર સાથે કરાવ્યું હતું.વિશેષમાં જણાવાનું કે આવતીકાલે તા.૧માર્ચે સવારે ઉપરોક્ત સમય સ્થળે ધો.૧૦ ના ૨૮૦ વિધાર્થીઓ અને અન્ય ના હિતમાં કલમ પૂજન , સરસ્વતી પૂજન સાથે ૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.