મુક્તાનંદ સ્વામીના 266માં પ્રાગટ્ય દિવસે લોયાધામ મંદિર દ્વારા ગરીબોને ધાબળા વિતરણ - At This Time

મુક્તાનંદ સ્વામીના 266માં પ્રાગટ્ય દિવસે લોયાધામ મંદિર દ્વારા ગરીબોને ધાબળા વિતરણ


મુક્તાનંદ સ્વામીના 266માં પ્રાગટ્ય દિવસે લોયાધામ મંદિર દ્વારા ગરીબોને ધાબળા વિતરણ

તારીખ 17 Jan 2024 પોષસુદ સાતમના રોજ આદિગુરૂ દેવ શ્રી મુક્તાનંદ સ્વામીના 266માં પ્રાગટ્ય દિને સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પૂજ્ય પાદ ગુરૂવર્ય શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા ચન્દ્રકાંતભાઈ પટેલ(ફલોરીડા usa)ના સહયોગથી શિયાળાની કાતિલ ઠંડીમાં રક્ષણ માટે દરિદ્રનારાયણની સેવાના રૂપે ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.કોઠારી સર્જુવલ્લભસ્વામી તથા અદભૂત વલ્લભસ્વામીના માર્ગદર્શન હેઠળ લોયાધામના સંતો રાણપુર પાસે આવેલ ચુડા ગામ તથા બોટાદ ગામના વિસ્તારોમાં વસતા ગરીબ પરિવાર તથા અનાથ પરિવારના ઘરે ઘરે જઈને તથા ફુટપાથ પર સૂતેલા એવં શિયાળાની ઠંડીમાં ઠરતા ગરીબોને ધાબળા ઓઢાળીને સેવાનો લાભ પ્રાપ્ત કરી જનસેવા એ જ પ્રભુસેવાનું સૂત્ર સાકાર કર્યું હતુ કનુભાઈ ખાચર(બાબરકોટ)તથા લોયાધામના હરિભકતોની ટીમસેવાથી ધાબળા વિતરણ સફળ બન્યું હતું લોયાધામ મંદિરે આજે આવી જન સેવા કરીને એક આદર્શ માનવતાનું ઉદાહરણ પૂરુ પાડયું છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.