વીરપુરના સમસ્ત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો - At This Time

વીરપુરના સમસ્ત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો


મહીસાગર વીરપુર ખાતે જય ભવાનીના જયઘોષ સાથે રેલી યોજાઈ

રાજસ્થાન જયપુરના કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તા,૫/૧૨/૨૦૨૩ ના રોજ ગોળી મારી હત્યા કરવાની વિગતો બહાર આવતા, સુખદેવસિંહની હત્યા મામલે સમગ્ર ભારત દેશમાં વિરોધના વંટોળના ઘેરા પડઘા પડ્યા છે ત્યારે,હત્યારાઓ પોલીસ પકડમાં આવતા,સમગ્ર ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ ભભુકી ઉઠ્યો છે,ત્યારે હત્યારાઓને ફોસીની સજા આપો ના બુલંદ માંગ અને નારા સાથે સુખદેવસિંહ ના પરિવારને ન્યાય અપાવવા ઠેર ઠેર ઉગ્ર રોષ સાથે રેલીઓ યોજાઈ રહી છે,ત્યારે વીરપુર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાન હિંમતસિંહજી,નાથુસિંહજી,રણજીતસિંહજી,અજીતસિંહજી,કમલેશભાઈ, પ્રકાશ ઠાકોર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,જેમાં મૌન રેલી વીરપુર રિલાયન્સ પેટ્રોલ પંમ્પથી સી.એમ દેસાઈ હાઈસ્કૂલ થઈ બસ સ્ટેન્ડ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં ન્યાય આપો ન્યાય આપો, હત્યારાઓને ફાંસી આપો ના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી જેમાં મહીસાગર જિલ્લા કરણી સેના અધ્યક્ષ મહેન્દ્રસિંહજી તેમજ પારૂલભાઈ સોની, દિલીપભાઈ પ્રજાપતિ નરેન્દ્રસિંહ મહેશ ઠાકોર, નવીનભાઈ તેમજ કિંગ ગ્રુપના મિત્રો સહિતના ઉપસ્થિત રહયા.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.