રેલનગરમાં મંદિરનું છતર અને દાનપેટી, નંદીપાર્કમાં શિક્ષકના ઘરમાં રોકડની ચોરી - At This Time

રેલનગરમાં મંદિરનું છતર અને દાનપેટી, નંદીપાર્કમાં શિક્ષકના ઘરમાં રોકડની ચોરી


શહેરમાં તસ્કરોનો પડાવ હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. ગત રોજ રેલનગરમાં મંદિરનું છતર અને દાનપેટી તેમજ નંદી પાર્કમાં એક શિક્ષકના ઘરમાં રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. રેલનગરના ભક્તિ ચોકે પાસે આવેલા શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરમાં ગ્રીલનો નકુચો તોડી પંચધાતુનું છતર અને દાનપેટી તોડી રોકડ રકમ મળી 10 હજારની મતા ચોરી થતા પૂજારી વિનોદગીરી શાંતિગીરી ગોસ્વામી(ઉ.વ.45, રહે ગાંધીગ્રામ, અક્ષરનગર)એ ફરિયાદ નોંધાવતા પ્ર. નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જ્યોતિનગર મેઈન રોડ, નંદી પાર્ક - 5મા રહેતા અને માસુમ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા પંકજભાઈ નરશીભાઈ ભાલોડીયા (ઉ.વ.55) આજે વહેલી સવારે પરીવાર સાથે જામજોધપુર મામાને ત્યાં ધાર્મિક કામ માટે ગયા હતા. સાંજે પરત ફર્યા તે દરમ્યાન તેના મકાનમાંથી બીજા માળે બે રૂમમાંથી તસ્કરો રૂ.12 હજા2ની રોકડની ચોરી કરી હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.