મોટો ફફેરો કરી સેલિબ્રેશન કરવું જરૂરી નથી : હિતેશ ભાઇ ખાખરીયા - At This Time

મોટો ફફેરો કરી સેલિબ્રેશન કરવું જરૂરી નથી : હિતેશ ભાઇ ખાખરીયા


આજરોજ જસદણ તાલુકામાં આમ આદમી પાર્ટી જસદણ તાલુકા પ્રમુખ અને જનશક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા ના પુત્રનો જન્મદિવસ હતો ત્યારે આ જન્મદિવસ હિતેશભાઈએ એકદમ સાદાઈથી ઉજવણી કરી હતી અને ઉજવણીમાં નાના બાળકોને નાસ્તો કરીને આ ઉજવણી કરી હતી અને વધુમાં તેમને જણાવ્યું હતું કે જન્મદિવસ હોય કે કોઈ ખુશીનો દિવસ હોય સેલિબ્રેશનમાં પૈસાનો વ્યર્થ કરવો કરતા ઓછું સેલિબ્રેશન થાય પણ વ્યવસ્થિત રીતે થાય અને નાણાનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી અન્ય લોકોને ઉપયોગ થાય તે રીતે સેલિબ્રેશન કરવામાં આવે તો ખૂબ સારું કહેવાય. વધુમાં હિતેશભાઈ જણાવ્યું હતું કે તમામ પરિવારો કે કુટુંબ કે મકાન આર્થિક રીતે સધ્ધર નથી હોતા જેથી લોકો એકદમ સાદા થી કોઈપણ ખુશી ની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.