વેરાવળ શહેર ની " માધવ લેન્ડ - રેવન્યુ સર્વિસીસ" પેઢી નો ૧૮ માં વર્ષ માં મંગલમય પ્રવેશ... - At This Time

વેરાવળ શહેર ની ” માધવ લેન્ડ – રેવન્યુ સર્વિસીસ” પેઢી નો ૧૮ માં વર્ષ માં મંગલમય પ્રવેશ…


ગીર સોમનાથ જિલ્લા ની અગ્રગણ્ય સંસ્થા " માધવ લેન્ડ રેવન્યુ સર્વિસીસ" જિલ્લા નાં પાટનગર એવા વેરાવળ શહેર માં છેલ્લા ૧૭ વર્ષ થી જમીન તેમજ રેવન્યુ અને દસ્તાવેજો સહિત ની વિવિધ કામગીરી એક જ છત્ર નીચે પૂરી પાડવામાં સફળ રહી છે આ કામગીરી નાં ૧૭ વર્ષ પૂર્ણ કરી શરદ પૂર્ણિમા નાં દિવસે ૧૮ માં વર્ષ માં મંગલ પ્રવેશ .ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ આદરણીય શ્રી મહેન્દ્ર ભાઈ પીઠયા નાં વરદ હસ્તે નવી ઓફિસ નો શુભ આરંભ કરવામાં આવેલ. આ તકે અતિથિ વિશેષ તરીકે તિરુપતિ બાલાજી (આંધ્ર પ્રદેશ) દિક્ષિત માતાજી સુમિત્રા નંદન તિર્થ સ્વામી ગુરુ શ્રી રાઘવેન્દ્ર તીર્થ સ્વામી ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપેલ. આ પ્રસંગે વેરાવળ શહેર નાં પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રીઓ. ડોકટરો .સામાજિક આગેવાનો. રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ આદરણીય શ્રી મહેન્દ્ર ભાઈ પીઠયા એ માધવ ગ્રુપ નાં પ્રણેતા એવા ભગુભાઈ વાળા ની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના લોકો માટે છેલ્લા ૧૭ વર્ષ થી જમીન રેવન્યુ અને દસ્તાવેજો સહિત વિવિધ કામગીરી એક જ છત્ર નીચે પૂરી પાડી ને જિલ્લામાં એક આગવી ઓળખ ઉભી કરેલ છે તે બદલ અભિનંદન પાઠવી ઉતરોતર સફળતાના શિખરો સર કરે તેવી હાર્દિક શુભકામના આપી હતી. આ પેઢી માં કુલ ૪ ધારાશાસ્ત્રી ઓ સેવા આપી રહ્યા છે તેથી હવે પછી થી કોર્ટ કચેરી ને લગતા દીવાની ફોજદારી કાર્યવાહીઓ ને લગતી સેવાઓ આ સરનામે" ઓફિસ નંબર-૩૭. ગ્રાઉન્ડ ફ્લોર. ગાર્ડન શોપિંગ સેન્ટર. નગર પાલિકા ગેટ નં.-૨ ની બાજુ માં આવેલ ઓફિસે થી પૂરી પાડવામાં આવી રહેલ છે. જેનાં કારણે અસીલ વર્ગ માં આનંદ ની લાગણી ફેલાય છે...

રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.