બોટાદ શહેરમાં લાઈન ફેરવણીની કામગીરીને લીધે તા.૨૫/૦૪/૨૪થી તા.૨૭/૦૪/૨૪ સુધી પાણી પુરવઠો બંધ રહેશે - At This Time

બોટાદ શહેરમાં લાઈન ફેરવણીની કામગીરીને લીધે તા.૨૫/૦૪/૨૪થી તા.૨૭/૦૪/૨૪ સુધી પાણી પુરવઠો બંધ રહેશે


બોટાદ શહેરમાં લાઈન ફેરવણીની કામગીરીને લીધે તા.૨૫/૦૪/૨૪થી તા.૨૭/૦૪/૨૪ સુધી પાણી પુરવઠો બંધ રહેશે

બોટાદ શહેરના ભાવનગર રોડ જ્યોતિગ્રામ સર્કલ પાસે બોક્સ કલવર્ટ કામના ભાગમાં પાણીની મેઈન લાઈન અડચણરૂપ થતી હોઈ, જેથી લાઈન ફેરવવાની થતી હોઈ જે લાઈન ફેરવણી કરવામાં 3 (ત્રણ) દિવસ તા.૨૫/૦૪/૨૦૨૪ થી તા.૨૭/૦૪/૨૦૨૪ સુધી સમય લાગે તેમ છે, તેથી બોટાદ શહેરમાં પાણી પુરવઠો બંધ રહેશે.તેમજ લાઈન ફેરવવાની કામગીરી કામ પૂરું થયા બાદ રોટેશન મુજબ પાણી પુરવઠો બોટાદ શહેરને આપવામાં આવશે.જેથી શહેરીજનોને પાણીનો બિન જરૂરી બગાડ નહિ કરવા અને સમયગાળા દરમ્યાન પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડવાની બાબત ધ્યાને લઇ સાથ સહકાર આપવા ચીફ ઓફિસર,બોટાદ નગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.