સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી.


તા.12/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં હત્યા, જુથ અથડામણ અને ફાયરીંગ સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં યુવકની હત્યાના બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ચોટીલા ખાતે એક નવ યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને ચોટીલા પોલીસે હત્યાના બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચોટીલા શહેરના મફતિયાપરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા યુવક રાહુલ જાદવ પોતાના ઘરે હતો તે દરમિયાન અન્ય બે યુવકોએ રાહુલને બજારમાં બોલાવતા ત્યાં ગયો હતો જ્યાં બે યુવકો સાથે બોલાચાલી થતી થોડી જ મિનિટોમાં મામલો ઉગ્ર બનતા રોષે ભરાયેલ બે યુવકોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રાહુલ પર જીવલેણ હુમલો કર્યો હતો જે નજીકમાં જ રહેતા યુવકના કાકા રાજુભાઈ જાદવ જોઈ જતાં ત્યાં જઈ રોકવાનો પ્રયાસ કરતા બન્ને યુવકોએ તેમને પણ ધક્કો મારી પાડી દઈ નાશી છુટયા હતા જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક રાહુલને સારવાર અર્થે કુવાડવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતા હુમલાનો બનાવ હત્યામાં પરિણામ્યો હતો અને મૃતક યુવકની લાશને પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યારે આ બનાવની જાણ થતાં ડીવાયએસપી, ચોટીલા પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી જ્યારે પ્રાથમિક તપાસમાં અને ફરિયાદ મુજબ હત્યા નિપજાવનાર બન્ને આરોપીઓ દર્શન બાજીપરા અને તેનો મિત્ર નવાબ મકવાણા સુરેન્દ્રનગર ખાતે રહેતા હોવાનું અને બન્ને આરોપીઓ પૈકી આરોપી દર્શનની પત્ની પાયલ સાથે મૃતક યુવક રાહુલ જાદવને અગાઉને પ્રેમ સંબંધ હતો અને ત્યારબાદ પણ મૃતક યુવક પાયલના નામ સાથે ટેગ કરી ઈન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયામાં મેસેજ કરતો હોવાથી અવારનવાર બોલાચાલી થતી હતી અને જેનું મનદુઃખ રાખી સુરેન્દ્રનગરથી આવી હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું હતું અને મૃતક યુવકના આગામી તારીખ ૧૮ જાન્યુઆરીના રોજ લગ્ન હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.