જસદણ એલઆઇસી એજન્ટ મનીષભાઈ પરમારનું સન્માન - At This Time

જસદણ એલઆઇસી એજન્ટ મનીષભાઈ પરમારનું સન્માન


ભારતીય જીવન વીમા નિગમના એજન્ટ મનીષભાઈ પરમાર દ્વારા ડિસેમ્બર ૨૦૨૩ ના અંતમાં એમડીઆરટી ની કામગીરી પૂર્ણ કરતા મનીષભાઈ પરમારનું જસદણ શાખા અધિકારી કિરણભાઈ ગોહેલ, વિકાસ અધિકારી નીતિનભાઈ સોમૈયા, મજીતભાઈ ચૌહાણ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમને જસદણ શાખા તેમજ વિકાસ અધિકારી નીતિનભાઈ તેમજ ગોંડલ શાખા સ્ટાફ સહિત તમામ લોકોનું સતત માર્ગદર્શન મળતું રહ્યું હતું. મનીષભાઈએ પોતાની આ ઉજ્જવળ સિદ્ધિ બદલ તેમના તમામ વિમેદારો, શુભેચ્છકો તેમજ એલઆઇસી સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.