મંછાનગરમાં નણંદનું ભાઈ સાથેનું સગપણ તૂટી જતા પરિણીતાએ ત્રાસથી કંટાળી ફીનાઇલ પીધું - At This Time

મંછાનગરમાં નણંદનું ભાઈ સાથેનું સગપણ તૂટી જતા પરિણીતાએ ત્રાસથી કંટાળી ફીનાઇલ પીધું


રાજકોટના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા મંછાનગરમાં પરિણીતાએ ગઈકાલે સાસુ,નણંદ અને માસીજીના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે કરુવાહી શરૂ કરી છે.બનાવની વિગતો મુજબ,મંછાનગરમાં રહેતા સોનલબેન દિપકભાઈ રામાવત (બાવાજી) (ઉ.વ.30)એ પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાઇ છે.સોનલબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.પતિ રીક્ષા ચાલક છે.
સોનલબેને જણાવ્યું હતું કે,તેમના ભાઈ સુભમ સાથે નણંદ કિરણનું સગપણ થયું હતું બાદમાં બંને વચ્ચે મનમેળ ન આવતા આ સગપણ તૂટી ગયું હતું.ત્યારબાદ થોડાદિવસ પહેલા કિરણનો મેસેજ સોનલબેનના પુત્રના મોબાઈલમાં આવ્યો હતો અને તેમજ સુભમ સાથે વાતચીત કરવી છે તેમ કહ્યું હતું અને બાદમાં પુત્રએ પિતા દિપકભાઈને જાણ કરી હતી.જેથી દિપકભાઈ તુરંત તેમના માતાને ત્યાં કિરણને સમજાવવા ગયા હતા તેનો ખાર રાખી નણંદ કિરણ,સાસુ અને માસીજી તેજલબેન ગઈકાલે ઘરે આવી સોનલબેન સાથે માથાકૂટ કરતા માઠુ લાગતા ફીનાઇલ પીધું હતું.આ અંગે બી ડિવિઝન પોલીસે નિવેદન લેવા તજવીજ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.