વ્યાજખોરો વિરુદ્ધ લાલપુર પોલીસ પણ આવી હરકતમાં !! - At This Time

વ્યાજખોરો વિરુદ્ધ લાલપુર પોલીસ પણ આવી હરકતમાં !!


લાલપુર તાલુકા પી.એસ.આઇ નિષ્પક્ષ નીડર એવા જાંબાજ એમ. એન. જાડેજા એક્શન મોડમાં !!

વ્યાજખોરો વિરુદ્ધ લાલપુર પોલીસ પણ આવી હરકતમાં !!

હાલ હર્ષભાઈ સંઘવી દ્વારા એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં રાક્ષસી વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરોથી ત્રાહિમામ થઈ ચૂકેલા પીડીતો રાક્ષસી વ્યાજ વસૂલી કરતા લોકોના ત્રાસથી પોતાની આર્થિક સંક્રમણ ના હિસાબે આબઘાત કરી મરવા પર મજબુર થઈ મૌત ને વહાલું કરી લેતા હોયછે જે વાત ને ગંભીરતાપૂર્વક ગણી સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો ભોગ ન બને તે હેતુથી આપણા લોકપ્રિય હર્ષભાઈ સંઘવી ગુજરાતની ગરીબ જનતાની વ્હારે આવેલ છે જે સંદર્ભે જામનગર જિલ્લા પોલીસ વડા ની સૂચનાઓથી જે તે પોલીસ સ્ટેશને લોક દરબાર નું આયોજન કરવામા આવતુ હોયછે જેમાં વ્યાજખોરોને ડામવા સારૂ જે તે પીડીત લોકો એ આધાર પુરાવાની સાથે કોઈપણ જાતની ડર રાખ્યા વગર રાક્ષસી વ્યાજ વસૂલ કરતા ઇસમો વિરુદ્ધ અરજીઓ આપવા લાલપુર તાલુકાના જાંબાજ પી.એસ.આઇ એમ. એન. જાડેજા ની યાદીમાં અનુરોધ કરેલ હતું જેમાં લાલપુર તાલુકા ના સરપંચ જયેશભાઇ તરૈયા કારાભાઇ ભંગાર વારા આરીફ ભાઇ શેખ રજાકભાઇ પટેલ પૂર્વ ઉપસરપંચ રફીકભાઇ હાલેપોતરા અજીતભાઇ પટેલ વગેરે દરેક સમાજના લોકોએ હાજરી આપેલ હતી

રીપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.