શ્રી યોગીરાજ વિદ્યામંદિર-બોટાદ ખાતે ધોરણ-10 નો શુભેચ્છા અને ધોરણ-12 નો વિદાય સમારંભ યોજાયો - At This Time

શ્રી યોગીરાજ વિદ્યામંદિર-બોટાદ ખાતે ધોરણ-10 નો શુભેચ્છા અને ધોરણ-12 નો વિદાય સમારંભ યોજાયો


શ્રી યોગીરાજ વિદ્યામંદિર-બોટાદ ખાતે ધોરણ-10 નો શુભેચ્છા અને ધોરણ-12 નો વિદાય સમારંભ યોજાયો

બોટાદ જિલ્લામાં શિક્ષણમાં સર્વોચ્ચ સંસ્થા સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી સવૅ શ્રેષ્ઠ સંસ્થા શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદમાં ધો.10 નો શુભેચ્છા સમારંભ અને ધો.12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળાના ટ્રસ્ટી જે.પી.સાહેબ,રાજુ સાહેબ,કે.કે.સાહેબ તથા આચાર્ય શ્રી વિરલભાઈ વઢવાણાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.સૌપ્રથમ દીપ પ્રાગટ્ય અને સામૂહિક પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.શાળાના શિક્ષકઓએ માર્ગદર્શન સાથે પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી.વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ વાગોળ્યા હતા.છેલ્લે શાળાના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને સારું પરિણામ લાવવા, પરીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબતો અને પરીક્ષામાં મુશ્કેલી પડે તો સામનો કેવી રીતે કરવો તથા પોઝિટિવ વિચારવા માટે માર્ગદર્શન પૂરું પાડી શાળાનું,માતા પિતાનું,સમાજનું અને રાષ્ટ્રનું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવી હતી.અંતે શાળા ના શિક્ષક શ્રી હાર્દિકભાઈ સોનગરા આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.વિદ્યાર્થીઓએ યાદગીરી સ્વરૂપે સંસ્થાને અલગ અલગ ભેટ આપી બધાજ વિદ્યાર્થીઓએ નાસ્તો કરી છુટા પાડ્યા હતા.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા તમામ શિક્ષક મિત્રોએ ખૂબ મહેનત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.