રાજકોટમાં રાજાશાહી વખતની ACB ઓફિસની છત ધરાશાયી, રાત્રે દુર્ઘટના બનતા સદનસીબે જાનહાની ટળી - At This Time

રાજકોટમાં રાજાશાહી વખતની ACB ઓફિસની છત ધરાશાયી, રાત્રે દુર્ઘટના બનતા સદનસીબે જાનહાની ટળી


રાજકોટમાં જિલ્લા કલેક્ટર અને મ્યુ. કમિશનર દ્વારા જર્જરિત મકાનો સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર દિવાતળે અંધારું હોવાની હકીકત સામે આવી છે. જેમાં ત્રિકોણબાગ નજીકની રાજાશાહી વખતમાં ભાવનગરના ઉતારામાં આવેલી શહેર એસીબી ઓફિસ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ACB ઓફિસની છતના પોપડા પડતા પીઓપી સહિતનો કાટમાળ ધરાશાયી થયો હતો. જોકે, રાત્રિ દરમિયાન દુર્ઘટના બની હોવાથી સદનસીબે કોઇ જાન હાની થઈ ન હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.