“ભરોસાનું ઓગળતું મૂલ્ય: આધુનિક યુગનો કડવો સત્ય” - At This Time

“ભરોસાનું ઓગળતું મૂલ્ય: આધુનિક યુગનો કડવો સત્ય”


સમય સાથે જમાનો તો બદલાયો છે, પણ સાથે સાથે માણસોની માનસિકતામાં પણ મોટો ફેરફાર થયો છે. તે સમય કયારેય વિસરાતો નહીં જ્યારે "ભરોસા" શબ્દ માણસોની જીંદગીમાં સૌથી મજબૂત આધારસ્તંભ ગણાતો હતો. મિત્રો માટે મિત્રતા કોઈ ધંધો ન હતી, તે ભરોસાની માટી પર ઊગેલું પવિત્ર વૃક્ષ હતું. વેપારના ગોળમેળમાં કરાર કરતા પણ ભરોસાનું મૂલ્ય ઊંચું ગણાતું હતું. ટૂંકમાં, "ભરોસા" શબ્દ એ મનુષ્ય જીવનનો આરંભ અને અંત સમજાતો હતો.

પરંતુ આજે આ યથાર્થ કથનમાં ભૂતકાળનો સ્મરણ છે. આ આધુનિક યુગમાં ટેક્નોલોજીના વિકાસ અને જીવનશૈલીના વધારા સાથે ભરોસાનું સ્થાન શંકા અને સ્વાર્થે લીધું છે. મિત્રો વચ્ચેની મિત્રતા હવે લાગણીઓથી વધુ વ્યવહારમાં ફસાઈ ગઈ છે. વેપારમાં, જ્યાં ભરોસાનો આધાર એકમાત્ર મૂળભૂત મૂલ્ય ગણાતું, હવે સખત કરારો, કાનૂની નકશાઓ અને નિયમોના સહારે ચાલી રહ્યું છે.

"ભરોસા" શબ્દના જંગી મૂલ્યને સમજવામાં જ્યાં લોકો એક સમયે ગર્વ અનુભવતા, આજના સમયમાં તે શબ્દ લુપ્ત થતો જોવા મળતો છે. લોકોના અનુભવોમાં વારંવાર આ વાત ઉદભવે છે કે ભરોસો હવે માત્ર એક શબ્દ બનીને રહી ગયો છે – તેની મૂળ ભાવનામાં ઘણો ઘટાડો થયો છે.

આ વાત શંકા પેદા કરે છે કે એક દિવસ "ભરોસા" શબ્દ પરથી પણ લોકોનો વિશ્વાસ ઉઠી જશે. જ્યાં કોઈ પર આધાર રાખવા માટે મજબૂત સંબંધો રચવા બદલે, માણસો એકલા માર્ગે ચાલી જવાનું પસંદ કરશે.

આ યુગે ભરોસાનું મૂલ્ય ઓછું કર્યું હોય, પરંતુ મીઠા સંબંધો જાળવવા અને ભરોસાને ફરીથી જીવંત કરવા માટે હજુ સમય બાકી છે. "ભરોસા" એક એવી વૈશ્વિક ભાષા છે જે લાગણીઓ અને સત્યતાને જોડે છે – તેને જીવંત રાખવું તો આપણા હાથમાં છે.

"ભરોસાનું ઓગળતું મૂલ્ય"

આજે "ભરોસા" શબ્દ પર ચર્ચા કરવાની જરૂર એટલા માટે પડી કે મારી પાસેના બે-ત્રણ મિત્રોએ આ શબ્દને કારણે છેતરપિંડીનો સામનો કર્યો. એક સમય હતો જ્યારે "ભરોસા" મિત્રતાના મજબૂત આધારસ્તંભ તરીકે ગણાતું, અને સંબંધો તેમાં મજબૂત રહેતા. વેપાર પણ ભરોસાના આધાર પર ચાલતો હતો.

પરંતુ આજના સમયમાં ભરોસા એક રીતે ઓછું થાય છે, અને તેના બદલામાં શંકા અને સ્વાર્થ શરુ થાય છે. આ પરિસ્થિતિએ "ભરોસા" શબ્દની મૂળ ભાવના લુપ્ત થતી હોવાને ઈશારો કર્યો છે.

આજની જિંદગીમાં ટેક્નોલોજી અને વ્યવહારો વચ્ચે ભરોસાને જીવંત રાખવું એ પોતાનું કર્તવ્ય છે. કારણ કે "ભરોસા" એ કોઈ શબ્દ માત્ર નથી, તે સત્ય અને લાગણીઓ સાથે જોડાયેલી આધ્યાત્મિક ભાષા છે.

*ભરોસામાં જે થાઈ ના શકે, એ સંબંધ ટકી નહીં શકે,
ભરોસાની કદર કરજો, કેમ કે આ દિલ ફરીથી વલગી નહીં શકે.

*ભરોસે જ ટકી છે દુનિયા આખી, આ સત્ય છે મીઠું,
એકવાર તૂટે તો ફરી સંધાઈ, પરંતુ રહે ક્યારેક ફિકું.

સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image