રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ વિતરણ - At This Time

રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ વિતરણ


રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા છે. સ્લમ વિસ્તારમાં નાના બાળકો માટે સ્વચ્છતા અને પોષણ અભિયાન ચલાવે છે. જરુરીયાતવાળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયતા કરે છે. તા. ૧૧ માર્ચનાં રોજ રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી મા આનંદમયી કન્યા શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ની ૧૭૧ વિદ્યાર્થીનીઓને ટ્રાન્સપરન્ટ રાઈટીંગ પેડ તથા પાઉચ વિતરણ કરવામાં આવ્યા. રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ નાં વનિતાબેન રાઠોડ, તારાબેન રાઠોડ, દિપાલીબેન રાઠોડ, મિતભાઈ રાઠોડ, કૈલાસભાઈ જોગાવત, વિવેકભાઈ સરવૈયા, રેખાબેન સરવૈયા તથા ઉમેશભાઇ ખાચર હાજર રહ્યા હતા. વનિતાબેન રાઠોડ દ્વારા વિદ્યાર્થીનીઓને બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છાઓ આપવામાં આવી. શ્રી મા આનંદમયી શાળાનાં આચાર્ય શ્રી લીનાબેને રડીબા ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો.

વિશાલ બગડિયા

રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.