આપદામિત્ર તાલીમ કાર્યક્રમની મુલાકાત કરવામાં આવી - At This Time

આપદામિત્ર તાલીમ કાર્યક્રમની મુલાકાત કરવામાં આવી


ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ધ્વારા અમલી બનેલ આપદામિત્ર યોજના અંતર્ગત આપદામિત્રોની ૧૨ દિવસની નિવાસી તાલીમ માટે એસ.આર.પી.એફ ગ્રુપ 5ની પસંદગી કરવામાં આવેલ છે. જે મુજબ પંચમહાલ જિલ્લાના SDRF ના તાલીમ કેન્દ્ર, એસ.આર.પી.એફ ગ્રુપ 5 ખાતે ત્રણ જિલ્લાની કુલ છ(૬) બેચમાં કુલ ૩૦૦ આપદામિત્ર ને તાલીમ આપવામાં આવશે. સબબ તાલીમની વ્યવસ્થા તથા અન્ય તમામ મોનીટરીંગ માટે પંચમહાલના જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરશ્રી વિરલ ક્રિશ્ચીયન અને એસ.આર.પી.એફ ગ્રુપ 5ના કમાન્ડન્ટ ઓફિસરશ્રી તેજલ.સી. પટેલ તથા IHRDC/MDMRTA તરફથી મંજીત વિશ્વકર્મા દ્વારા તાલીમની વિઝીટ કરવામાં આવી હતી.

બ્યુરો ચીફ, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.