માવઠાની આગાહીને લઈને જસદણ બજાર સમિતિ દ્વારા ખેડૂત ભાઈઓને મેસેજ - At This Time

માવઠાની આગાહીને લઈને જસદણ બજાર સમિતિ દ્વારા ખેડૂત ભાઈઓને મેસેજ


બજાર સમિતિ-જસદણ દ્વારા જણાવાયું છે કે, હવામાન ખાતાની આગાહી જણાવે છે કે, બે-ત્રણ દિવસ માવઠું થવાની સંભાવના હોય તો મગફળી મોટા શેડમાં જ ઉતારવાની રહેશે. તેમજ જે માલ ખુલ્લામાં રાખવામાં આવે છે તેને ઢાંકવાની વ્યવસ્થા રાખવા ખાસ વિનંતી.
માર્કેટ યાર્ડમાં માલ લઈ આવતા દરેક ખેડૂત ભાઈઓને જણાવવાનું કે પોત પોતાનો માલ ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવવા વિનંતી. તેમજ બજાર સમિતિ-જસદણ દ્વારા દરેક કમિશન એજન્ટ ભાઈઓને વિનંતી કરવામાં આવી છે કે આ બાબતે ની જાણ પોતપોતાના ખેડૂત ભાઈઓને કરી આપવા ખાસ વિનંતી.

AT THIS TIME NEWS 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.