વિદાય સહ શુભેચ્છા સમારોહ-2024 - At This Time

વિદાય સહ શુભેચ્છા સમારોહ-2024


વિદાય સહ શુભેચ્છા સમારોહ-2024
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ-બોટાદ સંચાલિત અને શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન શ્રી સ્વામિનારાયણ બી.એડ્.કૉલેજ-બોટાદ ખાતે સેમ-4 ના તાલીમાર્થીઓ માટે વિદાય સહ શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુરુકુળના ટ્રસ્ટીશ્રી પૂ. શાસ્ત્રીશ્રી માધવસ્વરૂપદાસજી સ્વામીજીએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને આશિર્વચન પાઠવ્યા હતા.આ તકે કેમ્પસ ડાયરેક્ટર મુકેશભાઈ કાનેટિયા સાહેબે દરેક તાલીમાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.શ્રી પ્રેમરાધા પ્રાથમિક વિદ્યાલયના આચાર્ય ડી.કે.મેણિયા સાહેબે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમમાં બી.એડ્. કૉલેજના આચાર્યશ્રી તથા તમામ પ્રાધ્યાપક સ્ટાફ મિત્રોએ દરેક તાલીમાર્થીઓને શુભેચ્છાઓ સહ આર્શીવાદ સાથે સ્મૃતિ રૂપે ભેટ અર્પણ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન સેમ-2 ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સંચાલન,નાટક,ગઝલ,કાવ્ય રચના તેમજ પોતાના બે વરસના અનુભવોની રજૂઆત કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.