વિસાવદર ખાતે મારડિયા પરિવાર દ્વારા ભાગવત ગીતા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન - At This Time

વિસાવદર ખાતે મારડિયા પરિવાર દ્વારા ભાગવત ગીતા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન


વિસાવદર ખાતે મારડિયા પરિવાર દ્વારા ભાગવત ગીતા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન
વિસાવદર
વિસાવદર ખાતે મારડિયા વાણંદ પરિવાર દ્વારા સ્વર્ગવાસી મુક્તાબેન ધીરુભાઈ મારડિયા તેમજ સ્વર્ગવાસી વિજયભાઈ ભુપતભાઈ તથા મારડિયા પરિવાર પિતૃમોક્ષે શ્રીમદ ભાગવત ગીતા નું આયોજન તારીખ 2/11/22 કારતક સુદ નોમ ને બુધવારે શ્રીમદ્દ ભાગવત ગીતા જ્ઞાન કથા પ્રારંભ સવારે 9:00 રાખેલ છે
આ ધર્મ યજ્ઞમાં કથાનું રસપાન કરવા તમામ ધર્મ પ્રેમી જનતા ને શ્રી ધીરુભાઈ મોહનભાઇ મારડિયા તથા ભુપતભાઈ ધીરુભાઈ મારડિયા તથા દીપકભાઈ ધીરુભાઈ મારડિયા તેમજ અજયભાઇ ભુપતભાઇ મારડિયા તરફ થી ભાવભર્યું નિમંત્રણ આપવાના આવેલ છે
શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાન કથામૃતનું રસપાન શ્રી ગોપાલભાઇ આર. જોશી કરાવશે સમસ્ત મારડિયા પરિવાર પિતૃમોક્ષાર્થે કરવામાં આવેલ આ ધર્મ યજ્ઞ દરમ્યાન અન્ય ધાર્મિક પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવેલ છે
કથાવિરામ કારતક સુદ પૂનમ તારીખ 8/11/22 ને મંગળવાર ને બપોરે 11:00 થશે
તો આ કથામૃત નું રસપાન કરવા દરેક ધર્મ પ્રેમી લોકોને આમન્ત્રણ સાથે દીપકભાઈ મારડિયા દ્વારા જણાવવામાં આવ્યુ છે
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.