બોટાદ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા મધ્યે ઠંડા પાણીનું પરબ ખોલવામાં આવ્યું - At This Time

બોટાદ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા મધ્યે ઠંડા પાણીનું પરબ ખોલવામાં આવ્યું


બોટાદ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા મધ્યે ઠંડા પાણીનું પરબ ખોલવામાં આવ્યું

પરમ ઉપકારી પુજય ગુરુદેવશ્રી કાનજી સ્વામી પ્રેરીત શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ મધ્યે તીથઁકર ભગવાન શ્રીમહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના શુભ અવસરે શ્રી રામનવમીના મંગલ પ્રવીત્ર દિવસે ધોમ ધખતા તાપમાં ઉનાળામાં ઠંડા પાણીનું પરબ જાહેર જનત્તા માટે નવકારમંત્રની પ્રાથઁના બોલીને ખોલવામાં આવેલ છે, ઠંડા પાણી પરબના લાભાર્થી દાતાશ્રી (૧) સ્વ.દયમતીબેન હરસુખલાલ શેઠ- બોટાદ,હસ્તે તેમના પુત્ર બિતેઁનભાઈ શેઠ તથા મુકેશભાઈ શેઠ બિજા દાતા સ્વ.રંભાબેન સવજીભાઈ સતાણી ના આત્મ શ્રેયાથેઁ અશોક સાઉન્ડ વાળા અશોકભાઈ સતાણી તરફથી ઉનાળાની સખ્ત ગરમીમાં સાડા ત્રણ માસ માટે લોકોની આંતરડી ઠરે અને હાશકારો થાય હેતુએ શુધ્ધ ગળેલા પાણીનું પરબ ટ્રસ્ટી ઓની હાજરીમાં ખોલવામાં આવેલ છે અને અનેક જીવાત્માઓ આ પરબનો લાભ લે છે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ એટ ધીસ ટાઇમ ન્યૂઝ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.