અમદાવાદના સેન્ટર ડાયરેક્ટર ગજેન્દ્રસિંહ બિહોલા અને પંચમહાલ મહીસાગર ચીફ કોર્ડીનેટર મનજીત વિશ્વકર્માને એવોર્ડ તથા સર્ટિફિકેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા - At This Time

અમદાવાદના સેન્ટર ડાયરેક્ટર ગજેન્દ્રસિંહ બિહોલા અને પંચમહાલ મહીસાગર ચીફ કોર્ડીનેટર મનજીત વિશ્વકર્માને એવોર્ડ તથા સર્ટિફિકેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા


રાજધાની દિલ્હીમાં મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડમી અમદાવાદના સેન્ટર ડાયરેક્ટર તેમજ પંચમહાલ મહીસાગરના ચીફ કોર્ડીનેટરને "સેફ ઈન્ડિયા હીરો પ્લસ એવોર્ડ - 2023" થી સન્માનિત કરવામાં આવ્યા.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડમીને તારીખ 27 ફેબ્રુઆરી 2023 ના રોજ રાજધાની દિલ્હીમાં સેફ ઈન્ડિયા હીરો પ્લસ એવોર્ડ દ્વારા દિલ્હી ફાયર સર્વિસ ના ડાયરેક્ટર શ્રી અતુલ ગર્ગના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ દેશના દરેક રાજ્યોમાંથી ફાયર એન્ડ સેફટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં ઉમદા કાર્યો માટે એવોર્ડ તેમજ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતથી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ ટ્રેનીંગ એકેડમી, હતા. આ સેફ ઈન્ડિયા હીરો પ્લસ એવોર્ડ એનાયત કાર્યક્રમ કિંગ્સ એક્સપો મીડિયા લિમિટેડ,મુંબઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યમાંથી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી, અમદાવાદના સેન્ટર ડાયરેક્ટર ગજેન્દ્રસિંહ બિહોલા અને પંચમહાલ મહીસાગર ચીફ કોર્ડીનેટર મનજીત વિશ્વકર્માને એવોર્ડ તથા સર્ટિફિકેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પ્રેરિત અને સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી રીતે બચાવ તેમજ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.

બ્યુરોચીફ, વિનોદ પગી પંચમહાલ
મો,8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.