જય અંબે નવયુવક મંડળ ચેખલાપગી દ્વારા અંબાજી પદયાત્રી માટે વિસામા નું આયોજન કરવામાં આવ્યું - At This Time

જય અંબે નવયુવક મંડળ ચેખલાપગી દ્વારા અંબાજી પદયાત્રી માટે વિસામા નું આયોજન કરવામાં આવ્યું


દહેગામ ના ચેખલાપગી માં અંબાજી જતા પદયાત્રીઓ માટે નિસ્વાર્થ ભાવે વિસામા નું આયોજન કરવામાં આવ્યું. .........................................................................................

દહેગામ તાલુકા ના ચેખલાપગી ગામમાં દર વર્ષે અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામા નું નિસ્વાર્થ ભાવે આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ જય અંબે નવયુવક મંડળ દ્વારા નિઃશુલ્ક સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે ચા નાસ્તો, રહેવા જમવાની તેમજ નાહવાની પૂરતી સગવડ કરી આપવામાં આવે છે.આ સેવા કેમ્પ નું આયોજન કરનાર રાઠોડ બળદેવજી તેમજ રાઠોડ ભરતજી દ્વારા પદયાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવે છે.આ સેવા કેમ્પ માં કપડવંજ, દહેગામ વિસ્તારના ભાવિ ભક્તો માતાજીનો રથ લઇ આ વિસામા ની મુલાકાત અચૂક લેતા હોય છે. , , , , રીપોર્ટર :મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.