નવા થોરાળામાં માવતરે રહેતી પરિણીતાનો આપઘાત : પતિના ત્રાસથી પગલું ભર્યાંનો આક્ષેપ - At This Time

નવા થોરાળામાં માવતરે રહેતી પરિણીતાનો આપઘાત : પતિના ત્રાસથી પગલું ભર્યાંનો આક્ષેપ


નવા થોરાળાના ગોકુલપરા શેરી નં-2 માં તેનાં ભાઈના ઘરે કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતકના ભાઈનો આક્ષેપ છે કે, પતિના ત્રાસથી તેણીએ આ પગલું ભરી લીધું હતું. બનાવ અનુસાર નારણકા ગામે રહેતી પરિણીતા ગીતાબેન કિશોરભાઈ વાળા (ઉ.વ.45)એ ગઇ કાલે પોતાના માવતરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
પરિણીતા ચાર દિવસથી માવતરે હતી. જ્યાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેણીને બે દીકરી એક દીકરો છે. મૃતકના ભાઈએ આક્ષેપ સાથે જણાવ્યું હતુ કે, ગીતાબેનનો પતિ અવાર - નવાર ઝઘડો કરતો. દરમિયાન પતિ વારંવાર મારફૂટ પણ કરતો હતો.
આ ત્રાસ સહન ન થતા હજુ ચાર દિવસ પહેલા જ તે માવતરે રહેવા આવી હતી. થોરાળા પોલીસે આ મામલે નિવેદનો નોંધી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. ફરિયાદ નોંધવા અંગે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.