દહેગામ થી રખિયાલ હાઇવે પર ખાડાઓનું રાજ. અકસ્માત થવાની સંભાવના - At This Time

દહેગામ થી રખિયાલ હાઇવે પર ખાડાઓનું રાજ. અકસ્માત થવાની સંભાવના


ગાંધીનગર જિલ્લાના દહેગામ થી રખિયાલ સુધીના હાઈવે પર અકસ્માતો નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે જેને જોતા આજે રીપોર્ટર ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવતા 24 કિલોમીટર ના રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને કારણે આ રોડ પરથી નીકળતા રાહદારીઓ માટે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. પાંચ વર્ષથી આ રોડનું કામ ચાલુ હોવા છતાં હજુ પણ તંત્ર રોડ પર ખાડા પુરવામાં વ્યસ્ત છે . દરરોજ આ રોડ પર અકસ્માતો નું પ્રમાણ વધી રહ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આ રોડ અકસ્માતમાં લોકોના મોત થઇ રહ્યા છે છતાં તંત્ર આ રોડ પર બેદરકારી દાખવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ રોડ પર પડેલા સમારકામમાં પણ કોન્ટ્રાક્ટર ઓછી ગુણવત્તા વાળો માલ સામાન વાપરી રહ્યા છે છતાં તંત્ર ને આ રોડ નું નિરીક્ષણ કરવાનો સમય નથી. અહીંથી નીકળતા રાહદારીઓ પણ આ હાઇવે રોડ નો ઉપયોગ માત્ર ને માત્ર દિવસ માટે જ કરતા હોય છે કારણ કે રાત્રે અહીંથી વાહન ચલાવી નીકળવું એ નર્ક સમાન છે તેવું કહી રહ્યા છે.
, , . રીપોર્ટર: મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.