કોઠીગામના દાદાના પટાંગણમાં સાંનિધ્યમાં શ્રી ખેતલીયા દાદાના મંદિરે જમણવારનું આયોજન કરાયું - At This Time

કોઠીગામના દાદાના પટાંગણમાં સાંનિધ્યમાં શ્રી ખેતલીયા દાદાના મંદિરે જમણવારનું આયોજન કરાયું


જસદણ તાલુકાના કોઠીગામે ધુવાડાબંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. કલકત્તા શહેરના મહેતા પરિવારના સદસ્યો દ્વારા જુલીબેન ભરતભાઈ મહેતા તેમજ ભરતભાઈ મહેતા અને આકાશભાઇ ભરતભાઈ મહેતા દ્વારા બે દિવસ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલાં દિવસે નાના બાળકો માટે પાઉંભાજી નાના બાળકો માટે ની જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ બીજા દિવસે પણ સમસ્ત કોઠીગામના તમામ નાના બાળકો ભાઇઓ બહેનો વડિલોને માતાઓ સમસ્ત કોઠીગામના લોકો માટે ધુવાડાબંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેતા પરિવારના સભ્યો દર વર્ષે જમણવારનુ આયોજન કરે છે અને આ તકે શ્રી ખેતલીયા દાદાના મંદિરે જમણવારમાં ગામલોકોના સહયોગ અને મહેતા પરિવારના સભ્યોનો સહયોગ સાથે ભાવપૂર્વક પ્રસાદીરૂપે દાદાના મંદિરે જમણવારમાં ગામના લોકોએ પ્રસાદ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.