દાહોદ ખાતે આહીર કર્મચારી સ્નેહમિલનમાં આહીરાણી મહારસ દ્વારકાની યાદ ફરી તાજી થઈ - At This Time

દાહોદ ખાતે આહીર કર્મચારી સ્નેહમિલનમાં આહીરાણી મહારસ દ્વારકાની યાદ ફરી તાજી થઈ


દાહોદ મુકામે આહીર કર્મચારી મંડળ આયોજિત પાંચમાં સ્નેહમિલન સમારોહનું આયોજન રાધે ગાર્ડન પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યુ જેમાં દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અલગ અલગ સરકારી વિભાગોમાં સેવાઓ બજાવતા કર્મચારીઓએ સહ પરિવાર હાજરી આપી કાર્યક્રમમાં બાળકો દ્વારા અભિનય ગીત અને એક લોહિયા આહીર વિશે વ્યક્તવ્ય આપવામાં આવ્યું અને સમાજના આગેવાનો ડેપ્યુટી કલેક્ટર ભેટારીયા સાહેબ, પી.આઇ રામ સાહેબ,પ્રો.ઝાલા સાહેબ,પ્રો.વાઢિયા સાહેબ પ્રો.ભોળા સાહેબ તેમજ બંને જિલ્લાના કર્મચારીઓએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન થયુ રાજ્યના છેવાડાના વિસ્તાર દાહોદ ખાતે લગભગ ૧૫૦ કીમીના વિસ્તારના આહીર કર્મચારી પરિવારનું મિલન થયું જેમાં બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ રમી દ્વારકા આહીરાણી મહારસની યાદ તાજી કરી તથા કાર્યક્રમના અંતે સહ પરિવાર સ્વરુચિ ભોજન લીધુ
સમગ્ર કાર્યક્રમનું આયોજન સમિતિના સભ્યો સોલંકી વિક્રમભાઈ,બારીયા રામભાઈ વાળા અરજણભાઈ ઝાલા નિલેશભાઈ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાસ્યાગભાઈ ભમર તથા મધુભાઈ ભમ્મર દ્વારા કરવામાં આવ્યુ સુંદર આયોજન કરવા બદલ આગેવાનોએ સમિતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા..

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.