સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ


થાનગઢ જૈન સમાજ દ્વારા મામલતદાર તથા પોલીસ મથકે આવેદનપત્ર અપાયું

થોડા સમય પહેલા કર્ણાટકમાં જૈન સાધુની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં અને આરોપીઓને સખતમાં સખત સજા મળે તેવી માંગ સાથે સમસ્ત જૈન સમાજ દ્વારા ૨૦ જુલાઈના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું છે. તથા તમામ સ્થળોએ અધિકારીઓને આવેદનપત્ર આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે સ્થાનકવાસી જૈન ઉપાશ્રયથી તમામ ફિરકાના જૈનો સમાજના આગેવાનો કાર્યકરો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જે રેલી શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી મામલતદાર કચેરીએ જઇ મામલતદાર એ.કે. શર્માને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી સ્વરૂપે જઇ પોલીસ મથકે આવેદનપત્ર આપી આરોપીઓ વિરુદ્ધ પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તમામ સમાજના પ્રમુખો પૂર્વ નગરપાલિકા પ્રમુખ લીલાબેન ડોડીયા,
જશ્મીનભાઈ શાહ, હરેશભાઈ દોઢીવાળા, કે.બી. સંઘવી, રાજુ દોશી તથા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.