માર્ચ-૨૦૨૪ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનાર એસએસસી અને એચએસસી પરીક્ષા માટે જરુરી વ્યવસ્થાના આયોજન માટે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ - At This Time

માર્ચ-૨૦૨૪ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનાર એસએસસી અને એચએસસી પરીક્ષા માટે જરુરી વ્યવસ્થાના આયોજન માટે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ


માર્ચ-૨૦૨૪ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
દ્વારા યોજાનાર એસએસસી અને એચએસસી પરીક્ષા માટે જરુરી વ્યવસ્થાના આયોજન માટે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

અમરેલી તા.૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ (ગુરુવાર) માર્ચ-૨૦૨૪ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનાર એસએસસી અને એચએસસી પરીક્ષા માટે જરુરી વ્યવસ્થાના આયોજન માટે અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઇ રહે અને પરીક્ષા કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ મળી રહે તે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ. બી. ગોહિલે વિગતો આપતા જણાવ્યુ કે, તા.૧૧ થી તા.૨૬ માર્ચ-૨૦૨૪ દરમિયાન પરીક્ષા યોજાશે. એસએસસી (તા.૧૧ થી તા.૨૨ માર્ચ-૨૦૨૪ સવાર ૧૦.૩૦ થી ૧.૪૫ વાગ્યા સુધી) અને એચએસસી સામાન્ય પ્રવાહ (તા.૧૧ થી તા.૨૬ માર્ચ-૨૦૨૪ બપોરે ૩ થી સાંજે ૬.૧૫ વાગ્યા સુધી) અને એચએસસી વિજ્ઞાન પ્રવાહ (તા.૧૧ થી તા.૨૨ માર્ચ-૨૦૨૪ બપોરે ૩ થી સાંજે ૬.૩૦ વાગ્યા સુધી) પરીક્ષા યોજાશે.
જિલ્લાના ૨૭ કેન્દ્રોમાં સમાવિષ્ટ ૭૬ બિલ્ડીંગમાં ૬૮૦ બ્લોકમાં ૧૯,૩૫૮ વિદ્યાર્થીઓ ધો.૧૦-એસએસસી, ૧૫ સમાવિષ્ટ કેન્દ્રોમાં સમાવિષ્ટ ૪૧ બિલ્ડીંગમાં ૩૭૩ બ્લોકમાં ૧૧,૪૬૫ વિદ્યાર્થીઓ ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)ની તેમજ ૪ કેન્દ્રોમાં સમાવિષ્ટ ૧૧ બિલ્ડીંગમાં ૧૧૩ બ્લોકમાં ૧,૯૬૮ વિદ્યાર્થીઓ ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા આપશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.