બાલાસિનોર વીડી માયાવંશી વિદ્યાલયના પટાગણ મા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

બાલાસિનોર વીડી માયાવંશી વિદ્યાલયના પટાગણ મા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી


બાલાસિનોર તાલુકાના પાંડવા ગામે વી.ડી.માંયાવંશી વિદ્યાલયના પટાંગણમાં રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ પ્રસ્થાપિત કરનારા યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહજી ચૌહાણ, મહીસાગર જિલ્લા યુવા મોરચા પ્રમુખ કેતનસિંહ ઝાલા, ભાજપ તાલુકા મહામંત્રી નવીનભાઈ પટેલ, બાલાસિનોર તાલુકા યુવા મોરચા મહામંત્રી અને ઈન્ચાર્જ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, દેવ ગામના સરપંચ પ્રતિનિધિ મહેન્દ્રસિંહ જવાનસિંહ ચૌહાણ તેમજ ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ અને યોગેશભાઈ અમીન ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.