આદિવાસી જિલ્લાઓની ૧૯૯ શાળાઓ માટેના “સમ્યક પ્રેરણા કાર્યક્રમ - At This Time

આદિવાસી જિલ્લાઓની ૧૯૯ શાળાઓ માટેના “સમ્યક પ્રેરણા કાર્યક્રમ


રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગની કચેરીઓ, વિભા-યુ.એસ.એ તથા શિક્ષણા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આદિવાસી જિલ્લાઓની ૧૯૯ શાળાઓમાં “સમ્યક પ્રેરણા કાર્યક્રમ”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના દિવડા કૉલોની ખાતેની એકલવ્ય નિવાસી શાળામાં રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર દ્વારા શુભારંભ કરાયો હતો. જેમાં મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની, દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની અને વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની કુલ ૧૯૯ શાળાઓનો સમાવેશ થાય છે.
કાર્યક્રમનો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી તેમને અન્ય વર્ગના વિદ્યાર્થીઓના સમકક્ષ બનાવવા માટે રાજ્ય સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત “સમ્યક પ્રેરણા કાર્યક્રમ” શરૂ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ રાજ્યના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાન વિષય શીખવામાં વધુ જિજ્ઞાશા લાવવાનો છે. જેના થકી તેમનો સર્વાંગી વિકાસ થશે અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવશે.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.