મૃદુહદય નો મેળાવડો શિશુવિહાર ની બુધસભા ની ૨૨૭૩ બેઠક મળી - At This Time

મૃદુહદય નો મેળાવડો શિશુવિહાર ની બુધસભા ની ૨૨૭૩ બેઠક મળી


મૃદુહદય નો મેળાવડો
શિશુવિહાર ની બુધસભા ની ૨૨૭૩ બેઠક મળી

ભાવનગર બુધસભાની ૨૨૭૩ મી બેઠકમાં આજે તા. ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ પૂર્વ સાંસદ, ઉમદા વાચક, અભ્યાસુ વક્તા શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ કવિશ્રી વિરલ શુક્લની સલીમ મામુ ઔર ઉસકી ડૂબકી કા ગીત કવિતાનો આસ્વાદ કરાવ્યો. કવિતા પ્રેમી ભાવક તરીકે રાજુભાઈએ કવિતાના પાત્રો અને પરિસ્થિતિના પરિસરમાં એમને થયેલા ઝબકારા, કવિએ સહજપણે કવિતામાં મૂકેલા શબ્દો, એમાંથી પ્રગટતું ભાવ વિશ્વ, કવિમાંથી ઉતરેલી કવિતાની ભાવક તરીકેની આત્મપ્રતીતિ અને અનુભૂતિની વાત તેમની આગવી શૈલીમાં ખૂબ સહજ રીતે કરી. કવિતાની અસર અને આસ્વાદ શ્રોતાઓ માટે પણ એક અનન્ય અનુભવ બની રહ્યો.
કવિશ્રી વિનોદ જોશી દ્વારા પ્રાસંગિક આનંદની અભિવ્યક્તિ પણ ખૂબ પ્રેરક રહી. આજની બુધસભાનું સંચાલન છાયા પારેખે કર્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.