બોટાદના કપલીધર પાસે ઝુપડપટ્ટીના લોકોને દબાણ હટાવવા આપેલ નોટિસના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું - At This Time

બોટાદના કપલીધર પાસે ઝુપડપટ્ટીના લોકોને દબાણ હટાવવા આપેલ નોટિસના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું


બોટાદના કપલીધર પાસે ઝુપડપટ્ટીના લોકોને દબાણ હટાવવા આપેલ નોટિસના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું

બોટાદ શહેરનાં સાળંગપુર રોડપર કપલીધાર આવેલ છે.અહિ વિચરતી અને પછાત જાતિના લોકો છેલ્લાં 25 જેટલા વર્ષોથી ઝુંપડા અને કાચાં મકાનો બનાવીને વસવાટ કરે છે અને બોટાદ શહેરમાં છૂટક કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.ત્યારે તંત્ર દ્વારા તમામ લોકોને તાત્કાલિક અસરથી દબાણ કરેલ જમીન ખુલ્લી કરવા નોટિસો આપવામાં આવી છે.જેથી વિચરતી જાતિના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને નારાજગી ફેલાય છે.જેથી રાષ્ટ્રીય પછાત એકતા મંચના આગેવાનો અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.