શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય,વ.કટારીયા ખાતે માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો - At This Time

શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય,વ.કટારીયા ખાતે માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો


શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિધાલય,વ.કટારીયા મુકામે યોગ વેદાંત સેવા સમિતિ રાપર-ભચાઉ દ્વારા તારીખ ૧૭.૦૨.૨૦૨૩ ના માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા/પિતા અને ગુરુજનો નું સાંસ્કૃતિક પરંપરા આધારિત પૂજન કાર્ય કરવામાં આવ્યું હતું. આ સમિતિ માં શ્રી સુરેશભાઈ પટેલ, મંજુબેન વિઠ્ઠલભાઈ પટેલ,વિઠ્ઠલભાઈ પટેલ,બાબુલાલભાઈ,રમેશભાઈ,બાબુભાઇ, તેમજ તેમના સાથીમિત્રો કાર્યક્રમ માં જોડાયા હતા. આચાર્યશ્રી દ્વારા તેમનું શાળા પરિવાર વતી સ્વાગત કર્યુ. સમિતિ ના સભ્યો દ્વારા ભારત દેશની જૂની પરંપરાઓ અને સંસ્કૃતિ મુજબ જીવન માં માતા -પિતા નો શુ દરજ્જો છે તેની અગત્યતા વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી તેમને અવગત કર્યા, હાલ ના વર્તમાન પરિસ્થિતિમાં વિદેશી સંસ્કૃતિ ના અમલીકરણ પર રોક આવે અને આપણી ભારતીય સંસ્કૃતિ ને જીવન માં અપનાવે તે હેતુ થી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જે ખરેખર સફળ નિવડ્યું. સાથે સમિતિ તરફ થી દરેક વિદ્યાર્થીઓ ને લખવા ના ટેકા માટેના પેડ ભેટ આપવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ ને ચોકલેટ પણ વિતરણ કરી. અંતે શાળા પરિવાર દ્વારા તેમનું સન્માન કરી આભર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.