કુંવરજી બાવળિયાનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં ભાજપમાં ખુશાલીના ઘોડાપુર - At This Time

કુંવરજી બાવળિયાનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં ભાજપમાં ખુશાલીના ઘોડાપુર


કુંવરજી બાવળિયાનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં ભાજપમાં ખુશાલીના ઘોડાપુર

જસદણ વિંછીયા પંથકના ભાજપ હોદ્દેદારો કાર્યકરો આજે નવી સરકારના શપથ સમારોહમાં બહોળી સંખ્યામાં ગાંધીનગરમાં

રાજ્ય સરકારના નવા મુખ્યમંત્રી અને મંત્રીઓનો શપથ સમારોહ આજે બપોરે સચિવાલય હેલિપેડ મેદાન સરદાર ભવન સંકુલ નવા સચિવાલય ગાંધીનગર ખાતે છે ત્યારે જસદણ વિધાનસભાની ચૂંટણીમાં તન મન અને ધનથી ભાજપ સાથે જોડાયેલાં અનેક હોદ્દેદારો અને કાર્યકરો આજે વહેલી સવારે પોતપોતાના વાહનોમાં ગાંધીનગર પહોંચી ગયાં હતાં એમ જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ એ જણાવ્યું હતું આજના સમારોહ માટે પ્રદેશ ભાજપ દ્વારા પંચાયતથી માંડી દરેક પધાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને ભાજપના અંદરના વિરોધ વચ્ચે કુંવરજીભાઈ બાવળિયાની ભવ્ય જીતના વધામણાં કરવા અને તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતાં ભાજપના વફાદારો ગાંધીનગર નવી સરકારના શપથવિધિ સમારોહમાં સાક્ષી બન્યાં હતાં અત્રે નોંધનીય છે કે નવી સરકારના શપથવિધિ સમારોહમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ખાસ હાજર રેહવાના છે ત્યારે જસદણ બેઠક ઉપરથી સાતમી વખત ચૂંટાયેલા કુંવરજીભાઈ બાવળિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરતાં ભાજપના નાનાં મોટાં કાર્યકરોમાં ખુશાલીના ઘોડાપુર ફરી વળ્યાં છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.