નામચીન બુકી સાજીદ જીંદાણીએ એસિડ પીધું, સારવારના ચાર દિવસ બાદ મોત, દેણું થઈ જતા પગલું ભર્યાનું પ્રાથમિક તારણ - At This Time

નામચીન બુકી સાજીદ જીંદાણીએ એસિડ પીધું, સારવારના ચાર દિવસ બાદ મોત, દેણું થઈ જતા પગલું ભર્યાનું પ્રાથમિક તારણ


રાજકોટ શહેરના નામચીન બુકી સાજીદ જીંદાણીએ એસિડ પી આપઘાત કરી લેતા ચાર દિવસની સારવાર બાદ આજે ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. શહેરના સદર બજારમાં રહેતા સાજીદ ઉર્ફે સર્જુ જીંદાણીએ ચાર દિવસ પહેલા એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, પરિવારજનોએ જાણ થતાની સાથે જ તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આજે સારવાર દરમિયાન મોત થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકે આર્થિક સંકડામણના કારણે દેણામાં આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. ત્યારે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.