ધંધુકાના આકરું ગામે પ.પૂ. શ્રી માધવાનંદજી મહારાજનો ૧૪૨મો નિર્વાણ જયંતી મહોત્સવ, ઉજવાયો - At This Time

ધંધુકાના આકરું ગામે પ.પૂ. શ્રી માધવાનંદજી મહારાજનો ૧૪૨મો નિર્વાણ જયંતી મહોત્સવ, ઉજવાયો


ધંધુકાના આકરું ગામે પ.પૂ. શ્રી માધવાનંદજી મહારાજનો ૧૪૨મો નિર્વાણ જયંતી મહોત્સવ, ઉજવાયો. અમદાવાદ જીલ્લા ના ધંધુકાના માધવધામ, આકરું, ખાતે પ્રાતઃ સ્મરણીય પ.પૂ. શ્રી માધવાનંદજી મહારાજનો ૧૪૨મી નિર્વાણ જયંતી મહોત્સવ, પ.પૂ.૧૦૦૮ શ્રી જગદીશાનંદ સાગરાજી મહારાજની અધ્યક્ષતામાં ઉજવાયો હતો. પ.પૂ. શ્રી માધવાનંદજીની પ્રતિમા તથા ચરણ પાદુકા સાથે માધવપીઠાધીપતિ ૧૦૦૮ શ્રી જગદીશાનંદજી મહારાજ અને સંતોએ ગામની શેરીઓમાં શોભાયાત્રા કાઢી હતી. યાત્રાનું ગામનાં તમામ વર્ગના લોકોએ ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું અને શોભાયાત્રામાં જોડાયા હતા. તેમજ ગામના તમામ વર્ગના લોકોએ સાથે ભોજનપ્રસાદ આરોગી સનાતન ધર્મ અને સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.