ડુંગરપુર ખાતે 62મી શ્રી રામચરિત માનસ નવાન્હ જ્ઞાનયજ્ઞ યોજાશે - At This Time

ડુંગરપુર ખાતે 62મી શ્રી રામચરિત માનસ નવાન્હ જ્ઞાનયજ્ઞ યોજાશે


ડુંગરપુર ખાતે 62મી શ્રી રામચરિત માનસ નવાન્હ જ્ઞાનયજ્ઞ યોજાશે

જસદણ તાલુકાના ડુંગરપુર ખાતે તારીખ 28.03.2023 ના રોજ 62 મી શ્રી રામચરિત માનસ નવાન્હ જ્ઞાનયજ્ઞ યોજાશે. જેમાં કથાકાર શાસ્ત્રી શ્રી આશિષ પ્રસાદ જોશી ઉપસ્થિત રહેશે અને કથા સમય સવારે 09 થી બપોરે 12:00 વાગ્યા સુધી અને બપોરે 03 થી સાંજે 06 વાગ્યા સુધી ડુંગરપુર શ્રી હનુમાનજી ની જગ્યા ખાતે કથા યોજાશે અને હનુમાન જયંતી પર્વ નિમિત્તે જ્ઞાન યજ્ઞ પુણ્યતિથિના શુભ દિવસે શ્રી મારુતિ યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જે યજ્ઞ બપોરે 12:30 થી સાંજના 5 વાગ્યે પૂર્ણાહુતિ થશે જે સમગ્ર આયોજન મહંત શ્રી હરિ હરા નંદગીરી ગુરુ શ્રી લક્ષ્મણગિરીજી મહારાજજી શ્રી ડુંગરપુર હનુમાનજીની જગ્યા ખાતે યોજનાર છે તેમજ પોથીયાત્રા 28.03.2023 ના રોજ સવારે 9:00 કલાકે શ્રી મોટા રામજી મંદિરથી શ્રી ડુંગરપુર હનુમાનજીની જગ્યામાં જશે, તેમાં શ્રી રામ જન્મ ગુરુવારના રોજ 30.03.2023 ના રોજ બપોરે 12:00 વાગે રાખેલ છે, 01/04/2023 સાંજે 4 વાગ્યે ભગવાનના વિવાહ છે અને કથા વિરામ તારીખ 15 હનુમાન જયંતીના ગુરૂવારના રોજ 06.04.2023 ના રોજ બપોરે 12:00 કલાકે રાખેલ છે આ તકે શ્રી ડુંગરપુર હનુમાનજીની જગ્યાથી શ્રી શ્રી 108 શ્રી મહંત શ્રી દેવેન્દ્ર ગીરીજી ગુરુ શ્રી બ્રહ્મલીન મહંત શ્રી અલમસ્ત ગીરીજી મહારાજજી તેમજ મહંત શ્રી હરિહરાનંદ ગીરી ગુરુ શ્રી લક્ષ્મણગીરીજી મહારાજજી તરફથી સમગ્ર ભાવિ ભક્તો તેમજ આજુબાજુના નગરજનોને ગ્રામજનોને હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.