વટવા વિધાનસભામાં ભાજપ ના માર્ગદર્શનમાં આઝાદી કા અમૃત મહોત્સવ પર સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી કરવામાં આવી - At This Time

વટવા વિધાનસભામાં ભાજપ ના માર્ગદર્શનમાં આઝાદી કા અમૃત મહોત્સવ પર સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી કરવામાં આવી


જન જનનો એક જ નાદ....

હર ઘર તિરંગો લહેરાય એક સાથ...

વટવા વિધાનસભામાં શહેર ભાજપ ના માર્ગદર્શનમાં આઝાદી કા અમૃત મહોત્સવ પર સમગ્ર દેશમાં "હર ઘર તિરંગા" અભિયાનની ઉજવણી કરવામાં આવી...

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજી ના આહવાન પર કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી Amit Shahજી ના માર્ગદર્શનમાં આઝાદી કા અમૃત મહોત્સવ પર સમગ્ર દેશમાં "હર ઘર તિરંગા" અભિયાનની ભવ્યાતિભવ્ય ઉજવણી થઇ રહી છે...

ત્યારે કર્ણાવતી મહાનગર દ્વારા વટવા વિધાનસભામાં શહેર ભાજપ મહામંત્રી શ્રી પરેશભાઈ લાખાણી અને શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી વિનયભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની અલખ જગાવતી આઝાદ ભારતની એકતા બિરદાવતી "તિરંગા યાત્રા" માં સહભાગી બનતા પ્રચુર રાષ્ટ્રવાદી ભાવનાનો સંચાર થયો...

આવો આપણે સૌ આપણા નિવાસસ્થાને આપણો રાષ્ટ્રધ્વજ લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનની ભવ્યાતિભવ્ય ઉજવણીમાં સહભાગી થઈએ...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.