અમદાવાદ જિલ્લામાં ઓગષ્ટમાંં કોરોનાના કુલ 92 કેસ નોંધાયા - At This Time

અમદાવાદ જિલ્લામાં ઓગષ્ટમાંં કોરોનાના કુલ 92 કેસ નોંધાયા


અમદાવાદ,તા.22 ઓગષ્ટ 2022, સોમવારઅમદાવાદ જિલ્લામાં ઓગષ્ટ માસમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં ૯૨ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં એક દર્દીનું મોત પણ થયું હતું. સોમવારે જિલ્લામાં સંક્રમણના વધુ એક કેસ નોંધાયો હતા. સોમવારે જિલ્લામાં દસક્રોઇ તાલુકામાં  એક કેસ નોંધાયો હતો. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં ૯,૮૯૫ કેસ કોરોના સંક્રમણના નોંધાઇ ચૂક્યા છે. જિલ્લામાં હાલમાં કોરોનાના એક્ટીવ સંખ્યા ૧૫ છે. જિલ્લામાં હાલમાં ૧૦૨ લોકોને હોમ ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. ઓગષ્ટ માસમાં ગત તા.૧૦ ઓગષ્ટે અદાણી શાંતિગ્રામ ખોડિયાર દસક્રોઇ તાલુકા ખાતે કોરોનામાં એક મહિલાનું મોત થયું હતું. જિલ્લામાં હાલમાં રસીકરણ, ટેસ્ટિંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં જિલ્લામાં સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. જોકે લોકોએ હજુ વધારે સાવચેતી રાખવાની જરૂરીયાત છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.