પ્રાંતિજ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ - At This Time

પ્રાંતિજ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ


પ્રાંતિજ ખાતે રામનમવીના તહેવારને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.દેસાઇની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી. જેમાં રઈશભાઈ કસ્બાતી, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ. હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ, મનોજભાઈ મોદી, રેખાબેન સોલંકી, યોગેશભાઇ વકીલ સહિત વેપારીઓ તથા હિન્દુ મુસ્લીમ આગેવાનો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આવનાર રામનવમીનો તહેવાર શાંતિ અને સલામતી સાથે ઉજવાય તે માટે પીએસઆઈએ સૌ કોઈને અપીલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.